વાંકાનેરમાં મહાશિવરાત્રી પર્વે રાત્રે ભવ્ય સંતવાણી

- text


નામાંકિત કલાકારો નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભજનની રમઝટ બોલાવશે

વાંકાનેર : આજરોજ તા. 11/03/2021 ને ગુરૂવારના મહાશિવરાત્રીના દિવસે વાંકાનેરમાં રાત્રી 09.30 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન થવા જઈ રહ્યું છે. તેથી, સૌ ધર્મપ્રેમી જનતાને સંતવાણીમાં પધારવા આ કાર્યક્રમના આયોજક એવા નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં પૃથ્વીરાજ સિંહ (ખેરવા વાળા), હિતેશ ગીરી (રાજકોટ વાળા), વિજયસિંહ (રતનપર), લાલ મહારાજ દેવ મોરારી, કિશોર મહારાજ તબલચી તેમજ અન્ય નામાંકીત કલાકારો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું સ્થળ નર્મદેશ્વર મહાદેવ મંદિર, બીજા ઢાળીયા પાસે, ભાટીયા સોસાયટી, વાંકાનેર અને કાર્યક્રમનો સમય રાત્રે 09.30 વાગ્યાનો રહેશે તેવું જણાવવામાં આવેલ છે.

- text