વાંકાનેરનાં કણસાગરા પરિવાર દ્વારા રામ જન્મભૂમિ નિર્માણ માટે રૂ. 1,05,555 અર્પણ

- text


વિનયગઢના પરિવાર દ્વારા આરએસએસ કાર્યકરોને ચેક અર્પણ કરાયો

(કેતન ભટ્ટી) વાંકાનેર : અયોધ્યા રામ જન્મભૂમિ નિર્માણ અર્થે વાંકાનેરમાં આર્થીક યોગદાનનો ધોધ વહી રહ્યો છે ત્યારે કણસાગરા પરિવાર દ્વારા પણ એક લાખથી વધુ રકમનું અનુદાન કરવામાં આવ્યું હતું.

પ્રજાપતિ તળશીભાઈ જીવાભાઈ કણસાગરા પરિવાર (વિનયગઢ વાળા) હસ્તે, સુરેશભાઈ પ્રજાપતિ ( ગુજરાત માટી કામ કલાકારી બોર્ડનાં પૂર્વ ડિરેક્ટર) દ્વારા અયોધ્યા રામ મંદિર નિર્માણ અર્થે એક લાખ પાંચ હજાર, પાંચસો પંચાવન રૂ નું યોગદાન કરવામાં આવ્યું હતું. જેનો ચેક પરિવાર દ્વારા વાંકાનેરનાં આરએસએસ કાર્યકર ધવલભાઈ કરથીયા, દિપક ભાઈ ગોવાણીને અર્પણ કરવામાં આવ્યો હતો.

- text

- text