મોરબી : ગાંધીવાદી શતાયુ ગોકળભાઇ પરમારનું સન્માન કરાયું

- text


મોરબી : ગાંધીવાદી ભૂતપૂર્વ ધારાસભ્ય ગોકળભાઇ પરમારને હાલ 100મું વર્ષ ચાલતું હોવાથી ગઈકાલે તા. 14ને રવિવારના રોજ સિનીઅર સિટીઝન સરકાર ભારતી તથા મોરબી વૈદ્યસભાના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ, ડો. રાજુભાઇ ભટ્ટ, નરેન્દ્રભાઇ મહેતા, બ્રહ્મસમાજ પ્રમુખ પ્રશાંતભાઇ મહેતા, મહેશભાઇ પિંગલ, મગનભાઇ ભટાસાણા, પ્રવિણભાઇ મહેતા, ઘનશ્યામભાઇ પુજારા, પ્રભુભાઇ કંઝારીયાએ તેમના ઘરે જઇને શાલ ઓઢાડી, હાર-તોરા કરી, મીઠા મોઢા કરાવીને સન્માન્તિ કરેલ હતા.

- text

સંસારમાં રહીને સાધુ સાત્વિક જીવન જીવતા ગોકળભાઇએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “આ મારૂ નથી, પણ સદ્દગુણોનું સન્માન છે.” અને ચાર પંકિતનું ગીત ગાઇને ગર્વ અનુભવેલ હતો. કલિયુગમાં આવા વડીલ અને સમાજ સેવક ભાગ્યે જ મળે. આથી, બધાએ તેના આર્શિવાદ લઇને ધન્યતા અનુભવેલ હતી. તેમજ તેમણે સેવાભાવી આંખના ડો. કાતરીયા સાહેબ તથા સ્વ. જેરામભાઇ પટેલની સેવાને બિરદાવેલ હતી.

- text