મોરબીમાં સ્થાનિકોએ કૂવામાં પડેલા ગૌવંશને બહાર કાઢી જીવનદાન આપ્યું

- text


મોરબી : અબોલ જીવો કૂવામાં કે ખાડામાં ફસાઈ જતા હોય ત્યારે જીવદયાપ્રેમીઓએ રેસ્ક્યું કરી બહાર કાઢતા હોય, એવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે સ્થાનિકોએ કૂવામાં પડેલા ગૌવંશને બહાર કાઢી જીવનદાન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

- text

મોરબીમાં ઘુનડા રોડ પર આવેલ શક્તિ ટાઉનશિપ નજીક અવાવરૂ કૂવામાં બળદ પડી ગયો હતો. આ વાતની સ્થાનિકોને જાણ થતાં તેઓએ સાથે મળી પાણીમાં પડી ગયેલા બળદને બહાર કાઢ્યું હતું. આ કામગીરીમાં અશ્વિનભાઇ આદ્રોજા, રાજુભાઇ પનારા, મહેન્દ્રભાઇ ફૂલતરિયા, અનિલભાઇ સહિતનાએ જહેમત ઊઠાવી માનવતા મહેકાવી હતી.

- text