ટંકારા : જુના મનદુઃખનો ખાર રાખી આધેડને માર માર્યો

- text


ત્રણ શખ્સો સામે ટંકારા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ટંકારા : ટંકારના લજાઈ ગામ શક્તિમાતાના મંદીર પાસે ઝાલા પાટી નજીક જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આધેડે ત્રણ શખ્સો સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હરિસિંહ રમુભા ઝાલા (ઉ.વ.૫૮, ધંધો નિવૃત, રહે લજાઈ શક્તિ માતાના મંદીર પાસે ઝાલા પાટી તા ટંકારા) એ આરોપીઓ હેમંતસિંહ અગરસિંહ ઝાલા, યશપાલસિંહ અગરસિંહ ઝાલા, એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨ ના રોજ ફરિયાદીના ઘર પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીને એક આરોપી સાથે ખેતરમાંથી ટ્રક કાઢવા બાબતે ત્રણ ચાર વર્ષ પહેલા મનદુ:ખ થયેલ જેનો ખાર રાખી ફરીયાદી આરોપીના ઘર પાસેથી પસાર થતા ફરીયાદીએ આરોપીને જોઈ કોન છે તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ગાળો આપી કાઠલો પકડી જાપટ મારી, તે દરમ્યાન બીજા બે આરોપીઓ આવી જઈ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી કરી મોઢાના ભાગે જાપટો મારી મુંઢ માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text