ચાચાપર ગામે માંડવરાયજી દાદાના દર્શન કરતા મૂળીના યુવરાજ

- text


મોરબી: મોરબીના ચાંચાપર ખાતે મુળી રાજયના યુવરાજ તથા પ્રતિનિધિ મંડળે માંડવરાયજી દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી.

ઉપરોક્ત પ્રસંગે ચાંચાપર, થોરાળા,તમાચણ, નવા-જુના દેવળીયા તથા બગથળાના પરમાર પરિવાર દ્વારા મૂળીના યુવરાજનું સામૈયું કરવામાં આવેલ હતું. મુળી યુવરાજે આશરે ૧૦૦૦ વર્ષ જુના માંડવરાયજી દાદાના મંંદિર ખાતે દર્શન કર્યા હતા તેમજ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યુવરાજ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text