વાંકાનેર : નર્મદેશ્વર મહાદેવ મંદિરે શાકોત્સવ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી. સેલ વાંકાનેરના સહયોગથી વાંકાનેરના નર્મદેશ્વર મહાદેવ મંદિરે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મનોહરસિંહ જાડેજા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી. સેલ ગુજરાતના સભ્યની આગેવાનીમાં શાકોત્સવ યોજાયો હતો. જેમાં આશરે 22 મણ શાકની પ્રસાદી બનાવી ગરીબોને વિતરણ કરવામાં આવ્યું હતી. આ શાકોત્સવને સફળ બનાવવા માટે નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

- text

- text