- text
મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મે 2021માં લેવાનાર પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર કરી છે.
- text
મે 2021માં યોજાનાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન (053), ભૌતિક વિજ્ઞાન (055) તથા જીવ વિજ્ઞાન (057) વિષયની પ્રાયોગિક પરીક્ષા તારીખ 30/03/2021થી જિલ્લાના નિયત થયેલ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે.
- text