ગુજરાત નોટરી એસો.ના સભ્યએ સદગત પરિવારજનોના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમમાં રૂ. 35 હજારનું દાન કર્યું

- text


મોરબી : ગુજરાત નોટરી એસો.ના મોરબીના કારોબારી સભ્યે સદગત પરિવારજનોની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમમાં રૂ. 35 હજારનું દાન કર્યું છે.

પીપળી રહેતા ગુજરાત નોટરી એસોસીએશનના કારોબારી સભ્ય સંજયસિંહ ઝાલા (નોટરી, મોરબી) દ્વારા તેના સ્વર્ગસ્થ પુત્ર ક્રિપાલસિંહ, દાદા ગોવુભા પુંજાજી, પિતા અનિરુદ્ધસિંહ, પત્ની ઉમાબા, પુત્રી સોનલબા અને જાગૃતિબા, મયુરસિંહ, દાદી નાથીબાના સ્મરણાર્થે લગધીરજી એનામેન્ટ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં આજીવન પુણ્યતિથિ પેટે રૂ. 5000 લેખે કુલ રૂ. 35,000નું દાન કર્યું છે. આ દાન કંચનબા અનિરુદ્ધસિંહ ઝાલા અને જલ્પાબા અનિરુદ્ધસિંહ ઝાલાના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યું છે.

- text

- text