મોરબીના વીસીપરામાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીના વીસીપરા રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના વીસીપરામાં ભીમરાવનગરમાં રહેતા દિપકભાઇ મહેશભાઈ ચૌહાણના પત્ની પાયલબેન (ઉ.વ. 21)એ ગઈકાલે અજાણ્યા કારણોસર પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેથી, તેનું મૃત્યુ થયું હતું. મૃતક પાયલબેનનો લગ્નગાળો એક વર્ષનો છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને સંતાન નથી. હાલમાં પોલીસ મૃતકના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ કરી રહી છે.

- text

- text