મોરબી શહેરમાં વોર્ડ નં. 7થી 13માં યોજાનાર નગરપાલિકાના ‘લોક દરબાર’નું ટાઈમટેબલ

- text


મોરબી : મોરબી નગરપાલિકાના વહીવટદારના નેજા હેઠળ યોજાતા ‘લોક દરબાર’માં વોર્ડ નં. 1થી 6માં શાંતિપૂર્વક લોકોએ તેમના પ્રશ્નોની રજૂઆત કરેલ હતી. જેમાં સફાઈ અને લાઈટો, ભૂગર્ભના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવેલ હતા. અગાઉના સમય પત્રકમાં તારીખ, સ્થળ, સંજોગો અને લોકોની રજુઆતને ધ્યાને લઈને વોર્ડ નં.-7થી 13ના તારીખ અને સ્થળ નિયત કરેલ છે. જેનો નાગરીકો લાભ લે તેવી અપીલ કરવામાં આવેલ છે.

- text

આવતીકાલ તા. 22ના રોજ સાંજના 6થી 8 વાગ્યા સુધી વોર્ડ નં. 7 ખાતે લખધીરવાસમાં, આગામી તા. 24ના રોજ સવારના 9-30થી 11 વાગ્યા સુધી વોર્ડ નં. 8 ખાતે ચંદ્રેશનગરમાં, તા. 28ના રોજ સાંજના 6થી 8 વાગ્યા સુધી વોર્ડ નં. 9 ખાતે ચિત્રકુટ સોસાયટીમાં, તા. 29ના રોજ સવારના 9-30થી 11 વાગ્યા સુધી વોર્ડ નં. 10 ખાતે અવની ચોકડીમાં, તા. 29ના રોજ સાંજના 6થી 8 વાગ્યા સુધી વોર્ડ નં. 12 ખાતે આલાપ પાર્કમાં, તા. 2 જાન્યુ.ના રોજ સવારના 9-30થી 11 વાગ્યા સુધી વોર્ડ નં. 11 ખાતે ગોકુલનગરમાં તથા તા. 3 જાન્યુ.ના રોજ સવારના 9-30થી 11 વાગ્યા સુધી વોર્ડ નં. 13 ખાતે રામાપીર મંદીર, વજેપરમાં લોક દરબાર યોજાશે.

- text