- text
વાંકાનેર : વાંકાનેર તાલુકા ભાજપ પરીવાર તથા વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા મોરબી જીલ્લા ભાજપના નવ નિયુક્ત ઉપપ્રમુખ ગોરધનભાઈ સરવૈયા, મંત્રી ગોવિંદભાઈ દેસાઈ, મંત્રી રસિકભાઈ વોરા તેમજ રેલ્વે બોર્ડના મેમ્બર સુરેશભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહનું તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા ભાજપ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત સદસ્યો અને સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. અને તમામ હોદેદારોએ સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા જીલ્લા અને પ્રદેશ ભાજપનો આભાર માનેલ હતો.
- text
- text