શનાળા નજીક ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ટ્રક ફસાયો

- text


મોરબી : મોરબી તાલુકાના શકત-શનાળા ગામમાં શક્તિ માતાના મંદિર નજીક ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ટ્રક ફસાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરને ખુલ્લી રાખી દેવામાં આવતા આવા બનાવો વારંવાર બનતા હોય છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓ પર અકસ્માતનું જોખમ સર્જાય છે.

શકત-શનાળા ગામમાં રોડ પર ભૂગર્ભ ગટરનું કામ લગભગ 2 વર્ષથી ચાલુ છે. હજુ પણ તંત્ર દ્વારા કામ પૂરું કરવામાં આવ્યું નથી. તેમજ કોઈ આડશ મુકવામાં આવી નથી. તેમજ ગટર ખુલ્લી રાખી દેવામાં આવી છે. આથી, ગઈકાલે રાતના 8 વાગ્યા આસપાસ શક્તિ માતાના મંદિર નજીક ભૂગર્ભ ગટરમાં ટ્રક ફસાઈ ગયો હતો. જો કે માલહાનિ કે જાનહાનિના કોઈ સમાચાર નથી. પરંતુ આવા બનાવના લીધે અકસ્માત થવાનું જોખમ રહે છે. ત્યારે તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરનું કામ તાકીદે પૂરું કરવામાં આવે તેવી ગામલોકોમાં માંગ ઉઠી છે.

- text

- text