મોરબીના બિનવારસી સહિતના દિવંગતોના અસ્થિઓને 13મીએ સોમનાથમાં વિસર્જન કરાશે

- text


સેવાભાવી સંસ્થા દ્વારા 11મી સુધી સ્મશાનમાંથી અસ્થિઓને એકત્ર કરાશે

મોરબી : મોરબીના જલારામ મંદીર દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામનાર બિનવારસી મૃતદેહો સહિતના દીવંગતોના અસ્થિઓનુ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આગામી તા. ૧૩ના રોજ સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ સ્મશાનમાં સંસ્થાના અસ્થિ કુંભમા પધરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

હીન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે. ત્યારે આગામી સમયમા સુર્ય-ગ્રહણ હોય, તે પહેલા મોરબી જલારામ મંદીર દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામનાર દીવંગતો સહીત બિનવારસી તેમજ અન્ય દીવંગતોના અસ્થિઓનુ તા.૧૩ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. આગામી તા.૧૨ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય, તેમણે આગામી તા.૧૧ સુધીમા લીલાપર રોડ સ્થિત વિદ્યુત સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધારાવવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ યાદીમાં જણાવ્યું છે.

- text