રાજકોટ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં સ્વજન ગુમાવનાર પરિવારને રૂબરૂ સાંત્વના પાઠવતા કોંગી અગ્રણીઓ

- text


મોરબી : રાજકોટ સ્થિત ઉદય કોવિડ હોસ્પિટલમાં ગત ગુરુવારે મોડી રાત્રે બનેલા આગની દુર્ઘટનામાં મોરબીના એક નાગરિકનો ભોગ લેવાયો હતો. હતભાગી મૃતકના પરિવારને રૂબરૂ મળી કોંગ્રેસ પાર્ટી તરફથી શોક-સાંત્વના સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

મોરબીના નિતિન ભાઈ બાદણીનું રાજકોટ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં દુર્ભાગ્યપૂર્ણ અવસાન થતાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા તેઓના પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી. આ અંગે દિલસોજી દાખવતો શોકસંદેશ તેમજ કોંગ્રેસ પાર્ટી આ દુઃખમાં તેઓની સાથે છે એવી હૈયાધારણા આપવા અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સાથે રહેવા અંગેનો સંદેશ સદગત નિતિનભાઈના પુત્ર અંકિતભાઈ બાદણીને રૂબરૂ મળીને પાઠવવામાં આવ્યો હતો. મોરબીના કે.ડી. બાવરવા તેમજ નિર્મિતભાઈ ક્ક્ડ, હસુભાઈ કાસુંદરા, કિશોરભાઈ પટેલ સહિતના આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આવી કપરી, આધાતજનક અને દુઃખદ પરિસ્થિતિમાં ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટસ સંસ્થા પરિવારે સાથે રહી હતભાગી પરિવારને ન્યાય અપાવવાની હરસંભવ લડત લડશે તેવી દીલસોજી પણ પાઠવી હતી.

- text

 

- text