રાજનીતિના ‘ચાણક્ય’ સ્વ. અહેમદભાઈ પટેલને ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

- text


કોંગ્રેસને ક્યારેય ન પુરાઈ એવી ખોટ પડી છે : પોતિકા ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કરતા પક્ષ પ્રમુખ ભુપત ગોધાણી

ટંકારા : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજનીતિના ‘ચાણક્ય’ તરીકે ઓળખાતા અહેમદ પટેલનું નિધન થતા દેશભરમાં શોકની લાગણી પ્રસરી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ત્યારે ટંકારાના કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌના માર્ગદર્શક, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પનોતા પુત્ર એવા સ્વ. અહેમદ પટેલને ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અને સદગતના દિવ્ય આત્માની શાંતિ માટે તેમજ એમના પરિવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરાઈ હતી. જેમાં ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, મહામંત્રી દુષ્યંત ભૂત, અશોકભાઈ સંઘાણી તથા મહેશભાઈ લાધવા સહિત અનેક આગેવાનોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

- text

- text