આ સબ સ્ટેશનમાં અલગ-અલગ તારીખે વીજ પુરવઠો બંધ રહેશે

- text


 

તા. 11થી 26 નવેમ્બર દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં સમારકામ માટે વીજકાપ રહેશે

મોરબી : મોરબી અને વાંકાનેરના અમુક સબ સ્ટેશનમાં સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી આગામી તા. 11 થી 26 નવેમ્બર વચ્ચે અલગ-અલગ સબ સ્ટેશન અને ફીડર હેઠળના વિસ્તારોમાં જે તે નિર્ધારિત તારીખે પાવર સપ્લાય સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની નોંધ લેવા GETCO દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે.

- text

જેમાં તા. 11ને બુધવારે રોજ 66 KV મકનસર (ઢૂવા-2) સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે.

તા. 21ને શનિવારના રોજ 66 KV સિંધાવદર સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે.

તા. 25ને બુધવારના રોજ 66 KV સતાપર સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તેમજ

તા. 26ને ગુરુવારના રોજ 66 KV ઠીકરીયાળી સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે.

- text