મોરબીના સામાકાંઠે નર્મદાની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ

- text


મોરબી : મોરબીના સામા કાંઠે સોઓરડી રોડ ઉપર આવેલ જિલ્લા સેવા સદનની પાછળ પાર્શ્વનાથ ચેમ્બર પાસેની નર્મદા પાણીની લાઈન છેલ્લા બે માસથી લીકેજ છે. નર્મદા પાણીની લાઈનમાં ભંગાણ થવાથી પાણીનો મોટી માત્રામાં વેડફાટ થાય છે અને નર્મદાના પાણી આ કોપ્લેક્સ પાસે સરોવરની જેમ ભરાય રહે છે. પાણી ભરાઈ રહેવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કે સ્થાનિકોએ આ બાબતે રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા નર્મદા લાઇનના લિકેજથી પાણી ભરાવવાની સમસ્યા વકરી રહી છે અને નર્મદા લાઈનમાંથી દરરોજ મોટી માત્રામાં પાણી ખોટી રીતે વહી જતું હોવાથી સ્થાનિક લોકોએ આ મામલે સંબધિત તંત્ર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text