મોરબીના માધાપર વિસ્તારમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી શહેરના માધાપર વિસ્તારમાં રહેતા એક આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના માધાપરમાં શેરી નં. 5માં રહેતા જયેન્દ્રસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ. 53)એ આજે સવારે 5 વાગ્યા પહેલા રાત્રી દરમિયાન કોઈપણ સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો છે. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક જયેન્દ્રસિંહ બેંકના હપ્તા ન ભરી શકવાના લીધે ટેન્શનમાં રહેતા હતા. આથી, તેમણે આર્થિક સંકળામણથી કંટાળી અંતિમ પગલું ભર્યું છે. હાલમાં પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text