- text
હળવદ : હળવદ તાલુકામાં સાપકડા ગામથી ભલગામડા જવાના રસ્તે વચ્ચે નર્મદા કેનાલમાં ડૂબી જતા એક યુવકનું મોત નીપજ્યું છે. હળવદ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 11ના રોજ સાપકડા ગામથી ભલગામડા જવાના રસ્તે વચ્ચે નર્મદા કેનાલના પાણીમાં નરેન્દ્રભાઇ ગણપતભાઇ ચૌહાણ (ઉ.વ. 35, રહે. ધ્રાંગધ્રાં, હરજીવન પારેખની શેરી, દેપાળાનો ચોરો, તા. ધ્રાંગધ્રાં, જી. સુરેન્દ્રનગર) ડૂબી ગયા હતા. આથી, તેનું મૃત્યુ થયું છે. નરેન્દ્રભાઈ કુદરતી હાજતે જવા માટે નર્મદા કેનાલમાંથી પાણીનુ ડબલુ ભરવા જતા હતા. તે વખતે તેનો પગ લપસી જતા પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
- text
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate
- text