મકનસર ગામે પરપ્રાંતીય મજુરનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે પરપ્રાંતીય મજુરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 9ના રોજ મકનસર ગામ મનોજભાઈ રવજીભાઈ પરમારની માલીકીની ભાડે આપેલ ઓરડીમા રહેતા જીતેન્દ્રભાઈ ઓમપ્રકાશ વર્મા (ઉ.વ. ૨૦, ધંધો મજુરી, રહે મૂળ શીવનથા, તા. બિકાપુર, જી. ફૈઝાબાદ, ઉતરપ્રદેશ)એ અજાણ્યા કારણોસર પોતાની મેળે ઓરડીમા એંગલ સાથે રાઢવા (રસા) દ્વારા ગળે ફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text