માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત

- text


માળીયા (મી.) : માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.16) નામની સગીરા ગત તા.28 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આથી, સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text