વાંકાનેરમાં સોમવારથી રાત્રે પણ શાકભાજીની હરાજી કરાશે

- text


વાંકાનેર : એ.પી.એમ.સી. – વાંકાનેર સંચાલિત, શાકભાજી માર્કેટ (જુના દાણાપીઠ – વાંકાનેર) ખાતે સોમવાર તા. 28/9/2020 થી શાકભાજીની હરરાજી રાત્રે પણ કરવામાં આવશે. હાલ સવારે 5:00 વાગ્યે શાકભાજીની હરરાજી કરવામાં આવે છે. આગામી સોમવારથી સવારે 5:00 વાગ્યે અને રાત્રે 9:00 વાગ્યે એમ 2 વખત શાકભાજી ની હરરાજી કરવામાં આવશે. જેની સર્વે ખેડૂતો અને વેપારીઓએ નોંધ લેવા એ.પી.એમ.સી. – વાંકાનેરના ચેરમેન શકીલ પીરઝાદા (એડવોકેટ)એ યાદીમાં જણાવ્યું છે.

- text

આ કારણોસર લેવાયો નિર્ણય

(1) કોરોના સમયે એક વખતે ભીડભાડ ઓછી રહેશે.
(2) દાણાપીઠ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થશે.
(3) ખેડૂતોને શાકભાજી વેચવા માટે સવાર અને રાત એમ 2 સમય મળશે.
(4) ખેડૂતો અને વેપારીઓ માટે વાંકાનેર શાકભાજી માર્કેટ સહિત, મોરબી અને રાજકોટ યાર્ડનો પણ વિકલ્પ રહેશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text