મોરબીમાં મારામારીના ગુનામાં 8 વર્ષેથી નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં મારામારીના ગુનામાં આઠ વર્ષેથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી લીધા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં 3 આરોપીઓ છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા હતા. આ ત્રણેય આરોપીઓ મોરબીના પાડાપૂલ નીચે હોવાની માહિતી મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે પાડાપૂલ નીચે દોડી જઈને મારામારીના ગુનામાં ફરાર રહેલા ત્રણ આરોપીઓ ઉદાભાઈ પોરતીનાભાઈ મૈડા, લીલાબેન ઉદાભાઈ મૈડા અને દિલ્લા મકના ગુડિયા (રહે મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી પાડાપૂલ નીચે)ને ઝડપી લીધા હતા અને આ ત્રણેય આરોપીઓને એ ડિવિજન પોલીસના હવાલે કરતા એ ડિવિજન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text