મોરબી : રાજકોટ જવાનું કહી ઘરેથી નીકળેલી માતા અને બે પુત્રીઓ લાપત્તા

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં રહેતી માતા અને બે પુત્રીઓ બે મહિનાથી લાપત્તા છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા ત્રણેયની શોધખોળ કરવામાં આવી રહી છે.

- text

રફાળેશ્વર ગામમાં પાનેલી રોડ પર મનુભાઇ વઘોરાના ઇંટુના ભઠ્ઠાની ઓરડીમાં રહેતા ધનજીભાઇ બથવારની પત્ની રતનબેન (ઉ.વ. 30) તથા દંપતિની પુત્રીઓ આરતી (ઉ.વ. 13) તથા દયા (ઉ.વ. 8) ગત તા. 30 જૂનના રોજ સવારના આશરે દશેક વાગ્યાના અરસામાં ત્રણેય રાજકોટ સરકારી હોસ્પીટલમાં લોહી ચડાવવા જવાનુ કહી, રફાળેશ્વરથી રીક્ષામાં રાજકોટ જવા માટે નિકળેલ હતા. પરંતુ આજ દિવસ સુધી ઘરે પરત ફર્યા નહતા.

ઉલ્લેખનીય છે કે ગુમશુદા આરતીને થેલેસેમીયાનો રોગ હોય, જેને લઇ દર પંદર દિવસે હોસ્પીટલ ખાતે લોહી બદલાવવા માટે જવાનું હોય છે. રતનબેનની ઉંચાઇ ૪*૫, પહેરવેશ ગુલાબી રંગની ગુજરાતી સાડી, ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. જમણા હાથે ઓમ તથા રામ ત્રોફાવેલ છે. હોઠના નીચેના ભાગે કાળો તલ છે. તેમની દિકરી આરતીએ ટી-શર્ટ અને નાઇટ પેન્ટ પહેરેલ છે. ધો. ૮ સુધી ભણેલ છે અને દિકરી દિકરી દયા ટીશર્ટ-ચોયણી પહેરેલ છે. તેઓ વાને ઘઉ વર્ણના છે.

- text