મર્ડર કેસમાં 38 વર્ષથી ફરાર કેદીને નવસારીથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મુંબઇ (મહારાષ્ટ્ર)ની યરવડા જેલમા મર્ડરના કેસમાં આજીવન સજા ભોગવતો આરોપી પેરોલ રજા પરથી 38 વર્ષથી ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના કેસ અનુસંધાને આરોપી મગનભાઇ વેલજીભાઇ મનાણી (ઉ.વ. 65, રહે. હાલ અશોકવન સોસાયટી, વેજલપોર, નવસારી, મુળ રહે. ઉટબેટ, શામપર, તા.જી. મોરબી) મુંબઇની યરવડા જેલમાં આજીવન સજા ભોગવતો આરોપી પેરોલ રજા પરથી છેલ્લા 38 વર્ષથી ફરાર થયેલ અને નાસતો-ફરતો હતો. તેને મોરબી તાલુકા પોલીસની ટીમે ટેકનીકલ માધ્યમથી નવસારીથી પકડી પાડ્યો છે. આરોપીનો કોરોના રીપોર્ટ કરાવી આરોપીને ગઈકાલે તા. 20ના રોજ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text