મોરબી : ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ભોજન-પ્રસાદનું વિતરણ કરતું જલારામ પ્રાર્થના મંદિર

- text


દિવસભર વરસેલા વરસાદને લઈને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાહતકાર્યના ભાગરૂપે ભોજનની વ્યવસ્થા કરાઈ :

મોરબી : માનવ સેવા એ પ્રભુ સેવામાં માનતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ સેવા કર્યો કરવામાં આવે છે. ત્યારે બે દિવસ પૂર્વે પડેલા ધોધમાર વરસાદના પગલે વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જલારામ સેવા મંડળ દ્વારા ગરીબોને ભોજન-પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

મોરબી સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આમ તો દરરોજ ભોજન વિતરણ કરવામાં આવે છે. જો કે બે દિવસ પૂર્વે દિવસભર વરસેલા વરસાદને લઈને મોરબીના ઘણી ઝુંપડપટ્ટી વિસ્તારોમા જળ જમાવડો થતા ગરીબોની રાશન સામગ્રી નષ્ટ થઈ હતી. આ બાબતની જાણ થતાં સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ભવિનભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, નવીનભાઈ માણેક, નાનજીભાઈ સોલંકી સહિતના આગેવાનો દ્વારા મોરબી શહેરની વિવિધ જગ્યાઓ પર સ્થિત ઝૂંપડપટ્ટીઓમાં ભોજન-પ્રસાદ પહોંચાડાયો હતો.

- text