જશમતગઢમાં ઝેરી જીવજંતુ કરડતાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબી તાલુકાના જશમતગઢ ગામમાં રહેતા એક વૃદ્ધને ઝેરી જીવજંતુ કરડતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.

- text

જશમતગઢ ગામમાં રહેતા 65 વર્ષીય છગનભાઇ માવજીભાઇ મકવાણા તા. 26 જુલાઈના રોજ સવારના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળીયામાં બેઠા હતા. ત્યારે અજાણ્યું ઝેરી જીવજંતુ તેમને કરડી ગયું હતું. આથી, તેમને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text