- text
મોરબી : મોરબી તાલુકાના વિજયનગર ગામમાં રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text
વિજયનગર ગામમાં રહેતા જેઠાભાઇ અંબાલીયાની પુત્રી રમીલાબેને ગઈકાલે તા. 19ના રોજ પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. બાદમાં રમીલાબેનના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
- text