મોરબી જિલ્લામાં કોરોનાથી બીજું મોત : વાંકાનેરના વૃદ્ધાનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ

- text


મોરબી જિલ્લામાં કોરોના ઘાતક સાબિત થઈ રહ્યો છે

વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરનાના વધતા કેસની વચ્ચે વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધાનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થવાનો આ બીજો કેસ છે.

- text

આ અંગે મળતી વિગત મુજબ વાંકાનેર શહેરમાં અમરનાથ સોસાયટીમાં રહેતા રાયજાદા પરિવારના કુલ ચાર સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાંથી હાલ સારવારમાં રાજકોટ રહેલા રાયજાદા પરિવારના કોરોનાગ્રસ્ત વૃદ્ધા ઊર્મિલાબેન પ્રવિણસિંહ રાયજાદાનું આજે મૃત્યુ નીપજ્યું છે. મૃતક ઊર્મિલાબેન રાયજાદાને કોરનાની સાથે શ્વાસની પણ બીમારી હતી. આ અગાવ મોરબી જિલ્લામાં રવાપર ગામમાં રહેતા બેન્ક કર્મચારી યુવાનનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આજે વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધાએ રાજકોટ સારવાર દરમિયાન દમ તોડતા મોરબી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુનો આંકડો 2 પર પોહચ્યો છે. મોરબી જિલ્લામાં હાલમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 56 છે. જેમાંથી 35 લોકોની સારવાર ચાલુ છે. જ્યારે 19 લોકો રિકવર થયા છે અને 2ના મૃત્યુ થયા છે.

- text