મોરબી સેન્ટરીવેર એસો.ના પ્રમુખના પુત્રના સાદગીપૂર્ણ રીતે લગ્ન યોજાયા

- text


તંત્રની મંજૂરી સાથે માત્ર 20 લોકોની હાજરીમાં લગ્નવિધિ પૂર્ણ કરાઈ

મોરબી : હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે તંત્રએ માત્ર 20 લોકોની ઉપસ્થિતિ અને સોશ્યલ ડીસટન્સ સહિતના નિયમોના પાલન સાથે લગ્નને મંજુરી આપેલ હતી. ત્યારે તંત્રની મંજૂરી લઈને ગઈકાલે મોરબી સેનેટરી વેર્સ એસોસીએશનના પ્રમુખ કિરીટભાઈ ઓગણજાના પુત્ર સાવનના શુભ લગ્ન શનાળા નિવાસી મહેશભાઈ પાડલીયાની દીકરી જ્યોતિ સાથે યોજાયા હતા. કિરીટભાઈના એકના એક પુત્રના લગ્ન પ્રસંગમાં લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ કિરીટભાઈ ઓગણજાએ પરપ્રાંતીય શ્રમિકોને વતન પરત મોકલવાની કામગીરીમાં અન્ય પ્રમુખો સાથે મળી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text