મોરબીના રામધન આશ્રમમાં ઉમિયા માતાના પાટોત્સવની સાદાઈપૂર્વક ઉજવણી

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં ગઈકાલે ઉમિયા માતાનો પાટોત્સવ લોકડાઉનના કારણે સાદાઈપૂર્વક ઉજવાયો હતો. આ તકે સોસીયલ ડીસ્ટન્સના પાલન સાથે આશ્રમના મહંત તથા સ્ટાફ દ્વારા આશ્રમને ધજા ચડાવવામાં આવી હતી. તેમજ ઉમિયા માતાનું પૂજન કરી ભોગ ધરવામાં આવ્યો હતો અને યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પક્ષીઓ માટે ચણ નાખવામાં આવ્યું હતું. તેમજ પાણીના કુંડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ગાયમાતાને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. આમ, રામધન આશ્રમમાં ઉમિયા માતાના પાટોત્સવની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

- text