મોરબીથી કાલે મંગળવારે બે ઓરિસ્સા અને એક બિહારની મળીને કુલ 3 ટ્રેન ઉપડશે

- text


 

બુધવારે એક ઓરિસ્સા અને એક બિહાર એમ કુલ બે ટ્રેન રવાના થશે

મોરબી : મોરબીમાં શ્રમિકોને ટ્રેન મારફત પોતાના વતન મોકલવાનો સિલસિલો યથાવત છે. જેમાં આવતીકાલે મોરબીથી ત્રણ ટ્રેનો રવાના થવાની છે. જ્યારે બુધવારે બે ટ્રેનો રવાના થવાની હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- text

મોરબીથી આવતીકાલે મંગળવારે 3 ટ્રેનો ઉપડવાની છે. જેમાં સવારે 10 વાગ્યે બાલાસર( ઓરિસ્સા), બપોરે 2 વાગ્યે બાલાસર( ઓરિસ્સા) અને સાંજે 5 વાગ્યે પટના ( બિહાર)ની ટ્રેન ઉપડશે. જ્યારે બુધવારે પણ બે ટ્રેનો ઉપડવાની હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક ટ્રેન બાલાસર( ઓરિસ્સા) સુધી અને બીજી ટ્રેન પટના (બિહાર) સુધી જશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન જે શ્રમિકોનું રજિસ્ટ્રેશન થયું છે તેમના માટે જ છે.

- text