મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં સહભાગી થવા માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા શાકમાર્કેટ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટની ફ્રી ટિફિન સેવામાં તેલના 2 ડબ્બા તથા 5 કિલો તુવેરદાળ આપીને ભુખ્યાની જઠરાગ્નિ ઠારવામાં સહાયરૂપ થયેલ છે. તેમજ શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં 25 વડીલોને લેંઘા-ઝભ્ભાનું વસ્ત્રદાન કરેલ છે. સાથે 10 કિલો ઘી રાસન પેટે આપેલ છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે મંડળના પ્રમુખ ટી. સી. ફૂલતરિયા અને ભીખાભાઈ લોરીયા દાન આપવા ગયા હતા.

- text