મોરબી જિલ્લામાં મેડિકલ સ્ક્રીનીંગ કરાવ્યા બાદ જ વતન જવાની પરવાનગી મળશે

- text


 

જિલ્લા કલેકટરે આંતરરાજ્ય કે અન્ય જિલ્લામાં વતન જવા માટે નિયત કરી ગાઈડલાઈન

મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા આંતરરાજ્ય કે અન્ય જિલ્લામાં વતન જવા ઇચ્છુક લોકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ તમામ લોકોને મેડિકલ સ્ક્રીનીંગ કરાવ્યા બાદ જ વતન જવાની મંજૂરી આપવામાં આવશે.

જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઇન મુજબ વ્યકિત કે સમૂહ જે પોતાના વતન કે અન્ય રાજ્યમાં જવા ઇચ્છતા હોય તેઓએ સૌ પ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા નિયત કરાયેલા સેન્ટર ઉપર કોવિડ-19ના કોઈ લક્ષણો ધરાવતા નથી તે અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ આરોગ્ય વિષયક કેન્દ્રો મોરબી જિલ્લા હેડ ક્વાર્ટર, તમામ તાલુકા કેન્દ્રો ઉપર પીએચસી – સીએચસી નિયત કરવામાં આવશે..આ સેન્ટરો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ અને સુપરવિઝન હેઠળ કાર્યરત રહેશે.

- text

વતન જવા ઇચ્છુક વ્યક્તિ કે સમૂહ દ્વારા વાહન વ્યવસ્થા પોતે જાતે કરવાની રહેશે. તેનો ખર્ચ પણ જાતે જ ભોગવવો પડશે. અન્ય રાજ્યમાં જનાર વ્યક્તિઓની યાદી સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે તે તાલુકા મામલતદારને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અને ત્યાંથી જ તેમને પ્રવાસની ઓનલાઇન પરવાનગી મળશે. વતનમાં જવા ઇચ્છુક લોકોએ જ મેડિકલ સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે. અને તેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ દિવસ -3માં પ્રવાસ શરૂ કરવાનો રહેશે.

- text