મોરબી : અમારી શેરીમાં શુ કામ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યો

- text


મોરબી : મોરબીમાં અમારી શેરીમાં શુ કામ આવ્યો તેમ.કહીને યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. બી ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી એક શખ્સ સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીના નાળા પાસે રહેતા સુનીલભાઈ ગોરધનભાઈ સુરેલા (ઉ.વ.૧૯) નામના યુવાને રાહુલભાઈ જયંતીભાઈ વરાણીયા (રહે. મોરબી-૨, ત્રાજપર ખારી વાળા સામે) બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૧ ના રોજ મોરબી-૨, ત્રાજપર ખારી, ભોપાભાઈની દુકાન પાસે ફરિયાદી શેરીમા જતા આ કામના આરોપીએ ફરીયાદીને શુ કામ અમારી શેરીમા આવેલ છે તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી આરોપીએ લાકડી વતી માથાના માર મારીને માથાના ભાગે ઈજા કરી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text