- text
વાઘપરા,વજેપર તથા કાલિકપલોટ મેઈન રોડ સહિતના વિસ્તારો સેનેટાઇઝેશ કરાયા
મોરબી : મોરબીમાં કોરોના વાયરસને અટકાવવા ઘણી સંસ્થાઓ પોતાની યથાશક્તિ પ્રમાણે તંત્રને મદદરૂપ બની રહી છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને ચેપ ન લાગે તે માટે સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને શેરી- ગલીઓ અને મહોલ્લાઓને સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
કોરોનાની મહામારી દરમિયાન મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ માનવતાની સુવાસ ફેલાવી રહ્યું છે. જેમાં ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની આગેવાનીમાં ગ્રુપ દ્વારા ભુખ્યાઓની જઠરાગ્નિ ઠારવાની સાથે જરૂરિયાતમંદો અને ગરીબોની અનેક પ્રકારે સેવા કરવાનો મહાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. સાથોસાથ અનેક સ્થળોને સેનેટાઇઝેશ કરીને સુરક્ષિત બનાવવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં આજ રોજ વાઘપરા, વજેપર તથા કાલિકપલોટ મેઈન રોડ સહિતના વિસ્તારોમાં લોકોને ચેપ ન લાગે તે માટે સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- text
- text