મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા પોલીસકર્મીઓને પ્રસાદીનું વિતરણ કરાયું

- text


મોરબી : રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની મોરબીમાં આવેલ શાખાના સંતો તથા હરિભક્તોને લોકડાઉનમાં પણ રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓનો ઉત્સાહ વધારવા તથા તેમનો આભાર વ્યક્ત કરવા માટે મગજના-લાડુના બોક્સનું પ્રસાદીરૂપે વિતરણ કરવાનો વિચાર આવ્યો હતો. જેને ફળીભૂત કરવા માટે સરજુ વીટ્રીફાઇડના મગનભાઈ દામજીભાઈ ભોરણીયાએ તમામ ખર્ચ પોતે ઉઠાવ્યો હતો. આથી, સ્વામી નારાયણ ગુરુકુળ દ્વારા સરજુ વીટ્રીફાઇડના સહયોગથી પોલીસકર્મીઓને પ્રસાદીનું બોક્સ અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાન સ્વામિનારાયણ લોકોનું કોરોના વાયરસથી રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્ય અંગે પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા સાથે વાત થતા તેઓએ આ કાર્યને બિરદાવ્યું હતું.

- text