મોરબીમાં ડો. બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સફાઈકર્મી બહેનોનું સન્માન કરાયું

- text


મોરબી : મોરબીમા આજે 14મી એપ્રિલ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સફાઇ કામદાર લોકડાઉન હોવા છતાં પોતાની પરવા કર્યા વગર જે તે વિસ્તારની સફાઇની કાળજીપૂર્વક કામગીરી કરે છે ત્યારે મોરબી નગરપાલિકાના કાઉન્સીલર અને અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ સુરેશભાઈ શીરોહીયા તથા મોરબી નગરપાલિકાના કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયા દ્વારા સફાઇ કામદાર બહેનોનુ ફુલ હાર તિલક કરી મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવેલ છે.

- text