મોરબીનો પાડાપુલ-બેઠોપુલ બંધ કરાયા : એકમાત્ર મયુરપુલ અવરજવર માટે ચાલુ

- text


લોકડાઉનના અમલ માટે લોકોની બિનજરૂરી અવરજવર પર નિયત્રણ મુકવા મયુરપુલ સિવાયના પુલ બંધ કરાયા

મોરબી : મોરબીમાં લોકડાઉનના ચુસ્તપણે અમલ માટે લોકોની બિનજરૂરી અવરજવર પર નિયત્રણ મુકવા મયુરપુલ સિવાયના પુલ બંધ કરવામાં આવ્યા છે. જેમાં શહેરના પાડાપુલ-બેઠોપુલ બંધ કરીને એકમાત્ર મયુરપુલ અવરજવર માટે ચાલુ રખાયો છે.

મોરબીમાં કોરોનાને લઈને લોકડાઉન હોવા છતાં કેટલાક લોકોની બિનજરૂરી અવરજવર જોવા મળતા લોકડાઉનના ચુસ્તપણે અમલ કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા માટે લોકોની બિનજરૂરી અવરજવર ઉપર નિયત્રણ કરવા શહેરની અવરજવર માટેના મુખ્ય પાડાપુલ અને આ પુલની નીચેના બેઠાપુલ બંધ કરી દેવામાં આવ્યો છે. એકમાત્ર મયુરપુલ ચાલુ રખાયો છે. આ મયુરપુલ ઉપર જરૂરી કામ માટે નીકળતા લોકોની પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવી રહી છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text