મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા માતૃભૂમિ વેદ પ્રચાર સમિતિની સ્થાપના કરાઈ

- text


મોરબી : વૈદિક સત્ય સનાતન ધર્મ, વેદના શ્રેષ્ઠ વિચાર, યજ્ઞ અને સોળ સંસ્કારને ફરી પ્રસ્થાપિત કરવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ-મોરબી દ્વારા “માતૃભૂમિ વેદ પ્રચાર સમિતિ” નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમિતિ જન્મદિવસ તેમજ મંગળ કાર્યમાં નિ:શુલ્ક યજ્ઞ કરી આપશે તેમજ સોળ સંસ્કાર પણ કરી આપવામાં આવશે. વેદ, ઉપનિષદ તેમજ અન્ય પુસ્તકોનો પ્રચાર અને પ્રસારનું કામ કરશે. ઘરે-ઘરે યજ્ઞ થાય તે માટે યજ્ઞ પ્રશિક્ષણની શિબિર પણ નિ:શુલ્ક કરવામાં આવશે. આ કાર્યમાં સેવા આપવા ઈચ્છતા હોય તેઓએ આયૅ મહેશ ભોરણીયા મો. 94268 02094 નો સંપર્ક કરવાનો રહેશે, તેમ યાદીમાં જણાવેલ છે.

- text