મોરબીના સીરામીક ઉધોગમાં ગેસના ભાવો ઘટાડવા ગુજરાત ગેસ કંપનીને રજુઆત

- text


ગુજરાત ગેસ કંપનીના એમડીએ આગામી સમયમાં ગેસના ભાવમાં ઘટાડો કરવાની ખાતરી આપી

મોરબી : મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા ગેસના ભાવો ઘટાડવા માટે મોરબી સીરામીક એસોસિએશનને ગુજરાત ગેસના MD શ્રી સંજીવકુમાર સાહેબને રજુઆત કરી હતી. જેના પગલે તેમણે એપ્રિલ અને મે મહિનામાં બે તબ્બકે સીરામીક ઉધોગમાં વપરાતા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

- text

કોરોના વાયરસને કહેર વચ્ચે મોરબી સીરામીક અસોસિએશનના પ્રમુખશ્રીઓ મુકેશભાઈ, કિશોરભાઈ કિરીટભાઈ અને વડીલશ્રી વેલજીભાઇ ઉધરેજા ગુજરાત ગેસના આધિકારીશ્રી દેવેન્દ્ર અગ્રવાલને સાથે રાખી ગાંધીનગર ગુજરાત ગેસના MD શ્રી સંજીવકુમાર સાહેબને મોરબી સીરામીક ઉધોગમાં વપરાતા ગેસના ભાવ ઘટાડવાની વિગતવાર રજુઆત કરી હતી. જેના પગલે તેઓએ સીરામીક એસોસિએશનની રજુઆતને ધ્યાનપૂર્વક સાંભળી એપ્રિલ અને મે મહિનામાં બે તબ્બકે ભાવ ઘટાડો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- text