મોરબી નજીક સીરામીક ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાં મજૂર યુવાને કોઈ કારણસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લાલપર ગામ પાસે આવેલ સોલેક્સ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા આયુષ ભીમજીભાઈ વડેચા ઉ.વ.20 નામના યુવાને આજે પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.બાદમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને કયાં કારણોસર અપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text