વાંકાનેરના તિથવા નજીક ત્રણ મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામ પાસે આવેલ ત્રણ મંદિરોમાં તસ્કરોએ ત્રાટકીને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસે આવેલ ઉમિયા માતાજીના મંદિર, ભંગેશ્વર મહાદેવ મંદિર, મોઢેશ્વરી માતાજીના મંદિરમાંથી તસ્કરોએ દાનપેટી તોડીને રોકડની રકમ ચોરી હતી. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

- text