મોરબીમાં રવિવારે નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ

- text


મોરબી : મોરબીના ડો. હસ્તી મહેતા દ્વારા કુ. નીશિતાબેનની દીક્ષાની અનુમોદનાર્થે તથા શાંતાબેન હેમચંદ ફુલચંદ શાહના આત્મશ્રેયાર્થે નરેશ ભાણજી હોલ, માતૃ કૃપા, બાવા અહેમદશાની મસ્જિદ પાસે, 5-6 કાયા પ્લોટ, મોરબી ખાતે આગામી તા. 9 ફેબ્રુઆરીના રવિવારે સવારે 10 થી 12-30 કલાક સુધી નિ:શુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ જરૂરિયાતમંદ દર્દીઓને અનુરોધ કર્યો છે.

- text