- text
વાંકાનેર : વાંકાનેરની ઢુંવા ચોકડી પાસે આવેલ એક કારખાનામાં મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
- text
ગઈકાલે તા. 3 ફેબ.ના રોજ માટેલ રોડ ઉપર ઢુંવા ચોકડી પાસે આવેલ રોસાટા વીટ્રીફાઇડ સીરામીક કારખાનાની ઓરડીમાં મીરાતબેન ખોડાભાઇ પરમાર (ઉ.વ. ૩૨, રહે. હાલ રોસાટા વીટ્રીફાઇડ સીરામીક કારખાનાની ઓરડીમાં, માટેલ રોડ, તા. વાંકાનેર, મુળ રહે. પીપળીયા તા. ચોટીલા)એ અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ બનાવની વધુ તપાસ હાથ ધરાઈ છે.
- text