લાલપર ગામે આઈશ્રી ખોડિયાર માતાજીના જન્મજ્યંતી મહોત્સવની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીના લાલપર ગામે આઈશ્રી ખોડિયાર ગ્રુપ દ્વારા આઈશ્રી ખોડિયાર માતાજીના જન્મ જ્યંતી ઉત્સવની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ખોડિયાર માતાજીના પ્રાગટય મહોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.લાલપર ગામે વૃદાવન સોસાયટી ઢાર વિસ્તારમાં આઈશ્રી ખોડિયાર ગ્રુપ દ્વારા ખોડિયાર માતાજી સહિત સાતેય બહેનોના રાસ ગરબાની રમઝટ બોલી હતી.તેમજ ખોડિયાર માતાજીની મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેનો.મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.ઉપરાંત મોરબીથી.માટેલ સુધીની.યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માઇભક્તોએ ડીજેના સથવારે રાસ ગરબા રમતા રમતા માતાજીના દરબારમાં પહોંચીને ભક્તિભાવ પૂર્વક ખોડિયાર માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને માટેલ મંદિરે બાવન ગજની ધજા ચડાવી માતાજીનો આ ઉત્સવ હરખભેર ઉજવ્યો હતો.

- text