વાંકાનેર : ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને ધકેલાતા 8 ગૌવંશને બચાવાયા

- text


વાંકાનેર : વાંકાનેર નજીક વાહનમાં ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને ધકેલાતા 8 ગૌવંશને બચાવી લેવામાં આવ્યા હતા. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર ગૌરક્ષકોની ટીમે ગત તા.25 રાત્રીના વાંકાનેરના મહીકા ગામેં વોચ ગોઠવી ટાટા ૪૦૭ જી.જે. ૦૩ યુ. ૮૩૭૬માં ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 2 ગૌ વંશ નાના વાછરડા તેમજ મોટા ખુંટીયા જીવ નંગ ૫ તથા એક બળદને બચાવી લીધા હતા અને જીવ કૂલ ૮ મુદામાલ રૂ. ૧,૩૪,૦૦૦ ને વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરી દીધો હતો અને આ જીવોને વાંકાનેર પાંજરાપોળ ખાતે રાખવામાં આવેલ છે. આ બનાવ અંગે વાંકાનેરના ગૌરક્ષક દીપકભાઇ દીલીપભાઇ ખાંડેકાએ વાહન રેઢું મૂકીને નાસી જનાર આરોપી રાજુભાઇ સરાણીયાર, સતિષભાઇ પોપટભાઇ સરાણીયા, રત્નાભાઇ ભાથાભાઇ સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text