મોરબી : શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા 17મીએ ફ્રી રોગ-નિદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : “શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે તારીખ 17 જાન્યુઆરીના રોજ એક દિવસીય રોગ-નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

આ ગૌશાળામાં બીમાર, લાચાર, અંધ, વૃદ્ધ, અપંગ તથા કતલખાને લઈ જવામાંથી બચાવી લેવાયેલી ગાયોની સેવા શ્રુષુતા કરવામાં આવે છે.

- text

આ ઉપરાંત નંદી વગેરે અસહાયકો તેમજ નિરાધારની સેવા કરતી ઉત્તરાખંડની એકમાત્ર ગૌરક્ષા શાળાના લાભાર્થે “જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ” અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન આગામી તારીખ 17 જાન્યુઆરીને શુક્રવારના રોજ રવાપર રોડ સ્થિત નરસંગપર ટેકરી ખાતે સવારે 09:00થી 12:00 તથા સાંજે 03:00થી 07:00 દરમ્યાન કરવામાં આવ્યું છે. જેમાં અસાધ્ય રોગો જેવાકે ચામડીના રોગો, (સોર્યાસીશ-જૂનું ખરજવું-જૂનું દાદર-) તથા સાંધાના દુ:ખાવા, ઢીચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથીપગા, ગેગરિંગ, વેરિકોઝવેન (નસમા સોજો), નપુંસકતા, અસાધ્ય સ્ત્રી રોગ, વાળની સમસ્યાઓ, CP ચાઈલ્ડ (અવિકસિત બાળક), DMD (માંસ પેસીઓનો રોગ), પાતળાપણું, મોટાપો, કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી, હૃદયની નશોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે. આ નિઃશુલ્ક કેમ્પ માત્ર 17/01/2020ના રોજ એક દિવસ માટે જ આયોજિત છે. વધુ વિગતો માટે કેશવજીભાઈ ઠોરિયા મોબાઈલ નંબર 9712399990 પર ફોન કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text