જન ઉર્જા મંચ દ્વારા હૈદરાબાદમાં યોજાનાર ‘ઉદ્દઘોષ’માં વાંકાનેરના ઇનોવેટર મનસુખભાઈ પ્રજાપતિને નિમંત્રણ

- text


વાંકાનેર : જન ઉર્જા મંચ દ્વારા હૈદરાબાદના બશીરબાગમાં તા. 23 જાન્યુઆરી, 2020ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોસના જન્મદિવસ નિમિત્તે ‘ઉદ્દઘોષ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વાંકાનેરના રહેવાસી માટીકલાના નિષ્ણાત મનસુખભાઈ પ્રજાપતિને ઇનોવેટર તરીકે નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. જે બાબત મોરબી માટે ગૌરવરૂપ છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોસના પરિવારના સભ્ય ચંદ્રકુમાર બોસજી ઉપસ્થિત રહેશે.

- text